રિજનલ ન્યૂઝ ડેસ્ક, રાજકોટ જિલ્લામાં ઉમિયાધામ નિર્માણ થવા જઈ રહ્યું છે. માઁ ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર પામવા જઈ રહ્યું છે. નોંધનિય છે કે મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અનેકવિધ વિકાસકામોનાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન તેમજ તક્તી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું.
સંસ્કારો ઉપર ધ્યાન દેવાની જરૂર છે: મુખ્યમંત્રીની ટકોર
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. દરમિયાન, તેમણે જસવંતપુર ગામે ઊમિયા માતાજીનાં ભવ્ય મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું અને કરોડોનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યુ હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમાજને ટકોર કરી હતી કે, સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂૂર છે. ગુજરાત સરકાર પણ દરેક ઝોનમાં સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ કરી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે સમાજને ટકોર કરતા કહ્યું કે, સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂૂર છે. પરશોત્તમ રૂૂપાલાએ કહ્યું તે સાચી વાત છે. સેવ કલચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ કરી રહ્યા છે. અમદાવાદમાં કાર્યક્રમ કર્યો હવે આગામી દિવસોમાં સુરત અને રાજકોટમાં આ કાર્યક્રમ કરીશું.
ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવશે. આ સાથે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર મંદિર નિર્માણ કરવામાં આવશે. અયોધ્યા મંદિરમાં જે પથ્થર ઉપયોગ કરવામાં આવ્યા છે એ જ ભરતપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરી આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે. કડવા પાટીદાર પરિવારોનાં કુળદેવી માઁ ઉમિયાના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સેવાશ્રમ પણ બનાવવામાં આવશે. મંદિર કુલ 2 એકરમાં અને શૈક્ષણિક સંકુલ તેમજ આરોગ્યધામ સેવાશ્રમ 10 એકરમાં આકાર લેશે.
રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્યમાં સુશાસનના ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટને 1 દિવસમાં 793 કરોડનાં વિકાસકામોની ભેટ મળી રહી છે. શહેરોનું 750 કરોડનું બજેટ 21,696 કરોડનું થયું છે. સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનની માફક રાજકોટનો વિકાસનો પ્રયત્ન છે. ગુજરાતમાં 14 લાખ પ્રધાનમંત્રી આવાસો બનાવ્યાં છે. 2047ના સમયને વડાપ્રધાને અમૃતકાળ ગણાવ્યો છે. નગરો હરિયાળા, સ્વચ્છ બને એ જરૂરી છે. સ્વચ્છ, સમૃદ્ધ અને વિકસિત ગૂજરાતની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ મનોદિવ્યાંગનો એવોર્ડ મેળવનાર નીતિ રાઠોડને રાજ્ય સરકાર તરફથી રૂ. 51,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
અયોધ્યામાં લાગેલા પથ્થરોથી ઉમિયા મંદિર નિર્માણ પામશે
ઉમિયા માતાજી સંસ્થાનના મંદિરને પ્રથમ તબક્કે બનાવવામાં આવશે. આ સાથે સિમેન્ટ અને લોખંડના ઉપયોગ વગર મંદિર નિર્માણ કરવામાં આવશે. અયોધ્યા મંદિરમાં જે પથ્થર ઉપયોગ કરવામાં આવ્યા છે એ જ ભરતપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરી આ મંદિર બનાવવામાં આવશે, જેમાં એકબીજા પથ્થરને જોડીને બાંધકામ કરવામાં આવશે. આ કામ માટે લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગશે. કડવા પાટીદાર પરિવારોનાં કુળદેવી માઁ ઉમિયાના મંદિરની સાથે શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સેવાશ્રમ પણ બનાવવામાં આવશે. મંદિર કુલ 2 એકરમાં અને શૈક્ષણિક સંકુલ તેમજ આરોગ્યધામ સેવાશ્રમ 10 એકરમાં આકાર લેશે.
અંદાજિત 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે
મંદિરની સાથે 10 એકર જગ્યામાં સેવાશ્રમ અને શિક્ષણધામ આકાર લેશે અને એના માટે અંદાજિત 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ન્યારી નદીના કાંઠે રાજકોટના નવા રિંગ રોડથી એક કિલોમીટરના અંતરે આ બંને પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. સેવાશ્રમમાં આરોગ્યધામ, કેળવણી સંસ્થાન, એમ્યુઝમેન્ટ પાર્ક પણ આકાર લેશે. અત્યારસુધીમાં સંસ્થાને 8 કરોડ રૂપિયા જેટલું દાન મળી ચૂક્યું છે, જે પૈકી 2.50 કરોડનાં મુખ્ય બે દાતા પ્રવીણાબેન અશોકભાઈ કાલાવાડિયા અને જેન્તીભાઇ રવજીભાઈ કાલાવડિયાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.