SHAKTIKANTA DAS:શક્તિકાંત દાસની નિમણૂક પ્રધાનમંત્રીના કાર્યકાળ સાથે અથવા આગામી આદેશ સુધી રહેશે
-
નોટબંધી અને જીએસટીનો અમલ: 2016માં નોટબંધી દરમિયાન શક્તિકાંત દાસ આર્થિક બાબતોના સચિવ હતા અને આ પ્રક્રિયામાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે જીએસટીના સફળ અમલ માટે પણ રાજ્યો સાથે સંકલન કરીને મહત્વનું યોગદાન આપ્યું હતું.
-
કઠિન સમયમાં આરથીક સ્થિરતા: ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ દાસે આરબીઆઇનો હવાલો સંભાળ્યો અને બજારનો વિશ્વાસ પાછો મેળવ્યો. કોવિડ-19 દરમિયાન નીતિગત રેપો રેટને 4 ટકાના નીચા સ્તરે લાવીને તેમણે અર્થતંત્રને ટેકો આપ્યો હતો.
-
સરકાર સાથે સંકલન: દાસના કાર્યકાળમાં આરબીઆઇ અને સરકાર વચ્ચેનો તણાવ ઘટ્યો. આ વર્ષે આરબીઆઇએ સરકારને 2.11 લાખ કરોડ રૂપિયાનું સૌથી વધુ લાભાંશ આપ્યું હતું.
પીએમ મોદીના મુખ્ય સચિવ-2 તરીકે તેઓ કઈ જવાબદારીઓ નિભાવશે?
શક્તિકાંત દાસને સોંપવામાં આવેલા પદ હેઠળ, તેઓ સીધા વડા પ્રધાન મોદી સાથે સંકળાયેલા રહેશે. આ પોસ્ટ પીએમના અંગત સચિવ જેવી છે. એટલે કે શક્તિકાંત દાસ હવે પીકે મિશ્રા સાથે પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંચાલનની જવાબદારી સંભાળશે.
સામાન્ય રીતે આ પદ પર ફક્ત ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની નિમણૂક થાય છે. 2019 થી, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવનો દરજ્જો કેબિનેટ મંત્રી જેવો જ છે. એવું કહેવાય છે કે લાલ બહાદુર શાસ્ત્રીએ વડા પ્રધાન માટે અંગત સચિવની નિમણૂક શરૂ કરી હતી. બાદમાં ઇન્દિરા ગાંધીએ તેને સત્તાવાર રીતે મુખ્ય સચિવનું પદ બનાવ્યું. આ રીતે પી.એન. હક્સર પ્રધાનમંત્રીના પ્રથમ મુખ્ય સચિવ બન્યા.
ભારતના પ્રધાનમંત્રી કાર્યાલયમાં સામાન્ય રીતે મુખ્ય સચિવ વહીવટી વડા તરીકે સેવા આપે છે. જોકે, તેમની જવાબદારી ફક્ત પીએમઓના કાર્યોનું સંચાલન કરવા પૂરતી મર્યાદિત નથી. મુખ્ય સચિવ પ્રધાનમંત્રીને ઘરેલુ બાબતોથી લઈને વિદેશ નીતિ સુધીના મુદ્દાઓ પર સલાહ આપે છે. આ ઉપરાંત, તેઓ પ્રધાનમંત્રીના નિર્દેશ પર વિવિધ મંત્રાલયો અને વિભાગોના કામ પર પણ નજર રાખે છે.
મુખ્ય સચિવ પીએમઓમાં આવતા દસ્તાવેજી કાર્યક્રમો તેમજ અધિકારીઓના કાર્યનો રેકોર્ડ પણ રાખે છે. આ ઉપરાંત, તેઓ પ્રધાનમંત્રીને મોકલવામાં આવતી વિવિધ મંત્રાલયોની ફાઇલો અને સૂચનાઓ સીધી પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે.